લાજરસનું મરણ
1 હવે લાઝરસ નામનો એક માણસ બિમાર હતો. તે મરિયમ અને તેની બહેન માર્થાનાં ગામ બેથાનિયા નો હતો. 2 આ એ જ મરિયમ હતી, જેણે પ્રભુના પગ પર અતિમૂલ્યવાન અત્તર રેડીને પોતાના વાળથી તે લૂંછયા હતા. હવે તેનો ભાઈ લાઝરસ માંદો પડયો. 3 તેથી બહેનોએ ઈસુ પર ખબર મોકલાવી, "પ્રભુ, જેને તમે પ્રેમ કરો છો તે માંદો છે."
4 જયારે તેમણે આ સાંભળ્યું ત્યારે ઈસુએ કહ્યું, "મરણ થાય એવી આ માંદગી નથી, પણ તે ઈશ્વરના મહિમાને માટે છે, તેથી ઈશ્વર પુત્રનો મહિમા થાય." 5 હવે ઈસુ માર્થા તથા તેની બહેન અને લાઝરસ પર પ્રેમ રાખતાં હતા. 6 તેથી જયારે ઈસુએ સાંભળ્યું કે લાઝરસ બિમાર છે ત્યારે તે જયાં હતા ત્યાં બે દિવસ વધારે રહ્યા. 7 અને ત્યાર પછી તેના શિષ્યોને કહ્યું, "ચાલો, આપણે પાછા યહૂદિયા જઈએ."
8 તેઓએ કહ્યું, પણ "રાબ્બી, હજી થોડા સમય પહેલાં જ યહૂદીઓએ તમને પથ્થરે મારવાની કોશિશ કરતા હતા, અને તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?"
9 ઈસુએ જવાબ આપ્યો, "દિવસનાં બાર કલાક અજવાળું નથી હોતું? જે કોઇ દિવસે ચાલશે તે ઠોકર ખાશે નહિ, કેમકે તેઓ આ જગતનો પ્રકાશ જુએ છે. 10 જયારે વ્યકિત રાત્રે ચાલે છે તે ઠોકર ખાય છે, કેમકે તેનાંમાં પ્રકાશ નથી."
11 તેમણે આ કહયાં પછી, તેઓ તેઓને કહેવા લાગ્યા કે "આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે. પણ હું તેને જગાડવા જાઉ છું."
12 તેમના શિષ્યોએ જવાબ આપ્યો, "પ્રભુ જો તે ઉંઘી ગયો હોય તો તે સાજો થશે" 13 ઈસુ તો તેના મરણ વિશે કહેતા હતા, પણ તેમના શિષ્યોને લાગ્યું કે તેઓ સામાન્ય ઉંઘ વિશે કહે છે.
14 તેથી ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું, "લાઝરસ મરણ પામ્યો છે.