7 પણ હું તમને સાચે જ કહું છું કે મારું જવું તે તમારાં હિતમાં છે જયાં સુધી હું નહિ જાઉં, ત્યાં સુધી સહાયક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જઉ તો તેને હું તમારી પાસે મોકલી દઈશ. 8 જયારે તે આવશે, ત્યારે તે જગતને તેના પાપ વિશે, ન્યાયપણા અને ન્યાયચુકાદા વિશે ખાતરી કરાવશે. 9 પાપ વિશે, કેમકે લોકો મારાંમાં વિશ્વાસ કરતાં નથી; 10 ન્યાયીપણા વિશે; કેમકે હું પિતા પાસે જઈ રહ્યો છું અને હવે પછી તમે મને જોશો નહિ; 11 ન્યાયચુકાદા વિશે; કેમકે આ જગતના અધિકારીઓ દોષિત ઠયાઁ છે.
Publicidade
Publicidade