ઈસુનું મરણ
28 પાછળથી ઈસુએ જાણ્યું કે હવે સઘળું પૂરું થઇ ગયું છે, અને જેથી શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે તેમણે કહ્યું, "મને તરસ લાગી છે." 29 કડવો સરકો ભરેલું વાસણ ત્યાં હતું, તેથી તેઓએ તેમાં વાદળી બોળીને ઝૂફાના છોડની ડાળી પર બાંધીને તેઓએ તેમના હોઠ આગળ ધરી. 30 જયારે તેમણે પીણું પીધું, પછી ઈસુએ કહ્યું, "સંપૂર્ણ થયું." તેની સાથે, તેમણે પોતાનું માથું નમાવીને આત્મા છોડયો.