46 ફરી એક વાર તેઓ ગાલીલનાં કાનાની મુલાકાત કરી, જયાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો. ત્યાં એક અમીર અધિકારી હતો જેનો દીકરો કપરનાહૂમમાં બિમાર પડેલો હતો. 47 જયારે આ માણસે સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તે તેમની પાસે જઈને વિનંતી કરી કે આવીને મારા દીકરાને સાજો કર, જે મરવાની અણી પર હતો.
48 ઈસુએ તેને કહ્યું, "ચિન્હો તથા ચમત્કારો જોયા વિના તમે કદી વિશ્વાસ કરવાના નથી!"
49 અમીર અધિકારીએ તમને કહ્યું, "સાહેબ, મારો દીકરો મરણ પામે, તે પહેલાં આવો."
50 ઈસુએ જવાબ આપ્યો, "જા, તારો દીકરો જીવે છે."
તે માણસે ઈસુના શબ્દો લઇને ગયો. 51 હજી તો તે માર્ગમાં હતો, એટલામાં તેના નોકરો તેને સામાચાર સાથે મળ્યાં, કે "તમારો દીકરો જીવતો રહયો છે."
52 જયારે તેણે તેઓને દીકરાના સારા થવાનો સમય પૂછયો, ત્યારે તેઓએ તેને કહ્યું, "ગઈ કાલે બપોરનાં એક વાગે તેનો તાવ ઊતરી ગયો."
53 તેથી પિતાને સમજાયું કે આ તે જ સમય હતો જયારે ઈસુએ તેને કહ્યું હતું કે, "તારો દીકરો જીવશે." તેથી તેણે તથા તેના આખા કુટુંબે વિશ્વાસ કયોઁ.
54 યહૂદિયાથી ગાલીલમાં આવ્યા પછી ઈસુએ કરેલો આ બીજો ચમત્કાર હતો.