21 કેમકે જેમ પિતા મૂએલાઓને ઊઠાડીને તેમને જીવન આપે છે, તેમજ પુત્ર પણ ચાહે તેમને જીવન આપે છે. 22 વળી પિતા કોઇનો ન્યાય કરતા નથી પણ ન્યાય ચુકવવાનું સઘળું પુત્રને સોંપ્યું છે. 23 જેથી દરેક જણ જેમ પિતાને તેમ પુત્રને પણ માન આપે, જે પુત્રને માન નથી આપતાં, તો તેને મોકલનાર પિતાને પણ માન નથી આપતાં.
24 "હું તમને સાચે જ કહું છું કે: જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; અને તે અપરાધી નહિ ઠરશે, પણ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશે છે. 25 હું તમને સાચે જ કહું છું કે: એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂકયો છે, કે જયારે મૂએલાંઓ ઈશ્વર પુત્રની વાણી સાંભળશે, અને જેઓ સાંભળશે તેઓ સજીવન થશે. 26 કેમકે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ પુત્રને પણ પોતાનામાં જીવન આપ્યું છે. 27 અને તેણે તેમને ન્યાય કરવાનો અધિકાર પણ આપ્યો, કેમકે તે માણસનો દીકરો છે.
28 "તેથી તમે આશ્ચર્ય પામશો નહિ, કેમકે એવો સમય આવે છે કે, જયારે જેઓ તેમની કબરમાં છે તેઓ તેમનો અવાજ સાંભળશે. 29 અને જેઓએ સારાં કામ કર્યા છે તેઓ જીવન માટે ઉઠશે, અને જેઓએ ભૂંડા કામ કયાઁ છે, તેઓ સજા પામવાં માટે ઊઠશે. 30 હું મારી મેળે કશું કરી શકતો નથી, હું જે સાંભળું છું તે પ્રમાણે ન્યાય કરું છું, ને મારો ન્યાય યથાર્થ છે, કેમકે હું પોતાની જાતને નહિ, પણ જેણે મને મોકલ્યો છે તેને ખુશ કરવાને ચાહું છું.
31 "જો હું મારા વિશે સાક્ષી આપું તો મારી સાક્ષી સાચી નથી.