4 અને ઈસુને કહ્યું, "ગુરુજી, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. 5 મોશેએ નિયમશાસ્ત્રમાં અમને આજ્ઞા આપી છે કે આવી સ્ત્રીને પથ્થરે મારવી; હવે તમે શું કહો છો?" 6 તેઓ તેમને સપડાવવા આ પ્રશ્નનો ઉપયોગ કરતા હતાં, જેથી તેમના પર આરોપ મૂકવાનું કારણ મળી આવે.
પણ ઈસુએ નીચા નમીને જમીન પર તેમની આંગળીથી લખવાં લાગ્યા. 7 તેઓએ તેમને પ્રશ્ન પૂછયા કયાઁ, તેમણે ઊભા થઈને તેમને કહ્યું, "સારું, જેણે કદી પાપ ન કર્યું હોય તે પ્રથમ તેના પર પથ્થર નાખે." 8 ફરીથી નીચાં વળીને તેમણે જમીન પર લખ્યું.
9 એ સમયે જેઓએ એ સાંભળ્યું તેઓ એક પછી એક દૂર જવા લાગ્યા, મોટાથી લઈને, જયાં સુધી એકલા ઈસુ સિવાય તે સ્ત્રી સાથે કોઈ ઊભુ ન હતું. 10 ઈસુ ઊભા થયા અને તેને પૂછયું, "સ્ત્રી, તેઓ કયાં છે? શું તને કોઈએ દોષિત ઠરાવી?"
11 "તેણે કહ્યું!" કોઇએ નહિ, ગુરુજી,
ઈસુએ જાહેર કયુઁ, "હું પણ તને દોષિત ઠરાવતો નથી. જા, હવે જા અને પાપનું જીવન છોડી દે."