ફરોશીઓ અને સાદૂકીઓનું ખમીર
5 જયારે તેઓ સરોવરને પાર ગયા ત્યારે શિષ્યો રોટલી લેવાનું ભૂલી ગયા. 6 ઈસુએ તેઓને કહ્યું સાવધાન રહો, "ફરોશીઓ અને સાદૂકીઓના ખમીરથી સાવધ રહો."
7 આ વિષે તેઓએ માંહોમાંહે ચચાઁ કરીને કહ્યું, "આ તો આપણે કોઇ રોટલી નથી લાવ્યા માટે."
8 ઈસુએ તેઓની ચચાઁ જાણીને કહ્યું, "ઓ અલ્પવિશ્વાસીઓ! તમારી પાસે રોટલી નથી તે માટે માંહોમાંહે કેમ વાત કરો છો? 9 શું હજી સુધી તમે સમજતા નથી? શું તમને યાદ નથી પાંચ હજાર માટે પાંચ રોટલી, અને તમે કેટલી ટોપલી ભેગી કરી? 10 અથવા સાત રોટલી ચાર હજારને માટે અને તમે કેટલી ટોપલી ભેગી કરી? 11 તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી વિષે કહ્યું ન હતું? પણ ફરોશીઓ અને સાદૂકીઓના ખમીરથી સાવધ રહો." 12 ત્યારે તેઓ સમજ્યાં કે તેમણે તેઓને રોટલીમાં વપરાયેલા ખમીર વિષે નહિ પણ ફરોશીઓ અને સાદૂકીઓના ખોટા શિક્ષણથી સાવધ રહેવાનું કહ્યું.