20 તેમણે જવાબ આપ્યો, "કેમકે તમારો વિશ્વાસ થોડો છે. હું તમને સાચે જ કહું છું, જો તમારો વિશ્વાસ રાઈના બી જેટલો નાનો હોય, તો તમે આ પર્વતને કહી શકો છો કે, ‘અહીંથી ત્યાં ખસી જા!’ તો તે ખસી જશે! તમારા માટે કશું જ અશક્ય નહિ હોય. 21 પરંતુ પ્રાર્થના અને ઉપવાસ વિના એ જાત નીકળતી નથી."17:21 આ કલમ મૂળ ઓળીયામાં નથી
Publicidade