ઈસુ અંજીરીને શ્રાપ આપે છે
18 વહેલી સવારે, જયારે ઈસુ શહેરે પાછા જતાં હતા, ત્યારે ઈસુ ભૂખ્યાં થયા. 19 રસ્તાની બાજુએ એક અંજીરીને જોઈ, અને તેઓ તેની પાસે ગયા, પણ પાંદડાં વિના કાંઈ મળ્યું નહિ. પછી તેમણે તેને કહ્યું, "હવેથી તને કદી ફળ ન લાગો!" તરત જ અંજીરી સુકાઈ ગઈ.
20 જયારે શિષ્યોએ આ જોયું, ત્યારે તેઓ દંગ થઈ ગયા. તેઓએ પૂછયું, "અંજીરી આટલી જલ્દી કેવી રીતે સુકાઈ ગઈ?"
21 ઈસુએ જવાબ આપ્યો હું તમને સાચે જ કહું છું, "જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ના લાવો તો અંજીરની જે થયું તે તમે કરી શકશો એટલું જ નહિ, પણ જો તમે આ પહાડને કહી શકો છો, ‘જા, તું ઊચકાઇને સમૃદ્રમાં નંખા.’ અને તે પ્રમાણે થશે. 22 જો તમે વિશ્વાસ રાખો તો તમે પ્રાર્થનામાં જે કાંઈ માંગશો તો તે તમને મળશે."