ગેથસેમાને
36 ત્યારે ઈસુ શિષ્યોની સાથે ગેથસેમાને કહેવાતી જગ્યાએ ગયા, અને તેમણે તેમને કહ્યું, "હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો." 37 તેઓએ પિતરને તથા ઝબદીના દીકરાને તેમની સાથે લીધા, અને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા. 38 ત્યારે તેમણે તેઓને કહ્યું, "મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, તમે અહીં મારી સાથે રહીને જાગતાં રહો."
39 થોડેક દૂર જઈને, તેઓ જમીન પર ઊંધે મોંએ પડીને પ્રાર્થના કરી, "મારા પિતા, શકય હોય તો આ પ્યાલો મારાંથી દૂર થાય; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ."
40 જયારે તેઓ શિષ્યો પાસે પાછા આવ્યા ત્યારે તેઓને ઊંધતા જોયા. તેમણે પિતરને કહ્યું, "શું તું એક કલાક પણ મારી સાથે જાગતો રહી શકતો નથી! 41 જાગતાં રહો, અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે, પણ શરીર નિર્બળ છે."
42 બીજી વાર તેમણે જઈને પ્રાર્થના કરી, "મારા પિતા, જો આ પ્યાલો મારાં પીધા સિવાય લઈ લેવાય તેમ ન હોય તો તમારી ઈચ્છા પૂર્ણ થાઓ."
43 જયારે તેઓ પાછા આવ્યા ત્યારે તેઓને ફરીથી ઊંઘતા જોયા, કારણ કે તેઓની આંખો ભારે થઈ હતી. 44 તેથી તેઓને ફરીથી મુકીને દૂર ગયા અને ત્રીજી વાર તેની તે જ વાત કહેતા પ્રાર્થના કરી.
45 પછી શિષ્યોની પાસે પાછા આવીને તેઓને કહ્યું, "હજું શું તમે ઊંઘ્યા કરો છો અને આરામ કરો છો? જુવો સમય આવી પહોંચ્યો છે! અને માણસનો દીકરો પાપીઓનાં હાથમાં સોંપી દેવામાં આવે છે! 46 ઊઠો! આપણે જઈએ, મને પરસ્વાઘીન કરનાર અહીં આવી પહોંચ્યો છે!"