અશુધ્ધ આત્મા વળગેલા બે માણસોને ઈસુ સાજા કરે છે
28 જયારે તેઓ સરોવરનાં સામે કિનારે ગદરાનીના પ્રદેશમાં પહોંચ્યા, અશુધ્ધ આત્મા વળગેલાં બે માણસો કબરોમાંથી નિકળતા તેમને મળ્યાં. તેઓ એવા ભયાનક હતા કે તે માગેઁ થઈને કોઈ જઈ શક્તું ન હતું. 29 "ઈશ્વરપુત્ર, તમારે અમારી સાથે શું જોઈએ છે? તેઓએ બૂમ પાડી, નિયત સમય પહેલાં અમને પીડા દેવાને તમે અહીં આવ્યા છો શું?"
30 ત્યાંથી થોડે દૂર ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું. 31 અશુધ્ધ આત્માઓએ ઈસુને આજીજી કરી, "જો તમે અમને કાઢી મૂકવાનાં જ હો તો અમને ભૂંડોનાં ટોળામાં મોકલો."
32 તેમણે તેઓને કહ્યું, "જાઓ!" એટલે તેઓ બહાર નીકળીને ભૂંડોમાં પેઠાં અને આખું ટોળું સરોવરમાં ધસી પડયું અને પાણીમાં ડૂબી મર્યુ. 33 પેલા ભૂંડ ચરાવનારાં નાઠાં, શહેરમાં જઈને તે બધું તેઓએ કહી જણાવ્યું, અને અશુધ્ધ આત્મા વળગેલાઓને શું થયું તે પણ કહ્યું. 34 ત્યારે આખું નગર ઈસુને મળવા માટે બહાર આવ્યું, અને જયારે તેઓએ તેમને જોયા. તેઓએ તેમને વિનંતી કરી અમારી પ્રદેશમાંથી જતા રહો.