21 માર્થાએ ઈસુને કહ્યું, "ગુરુજી, તમે અહીં હોત તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત. 22 પરંતુ હું જાણું છું કે હજુ પણ જો તમે ઈશ્વર પાસે કાંઈ પણ માંગશો તો, તે તમને આપશે."
23 ઈસુએ તેને કહ્યું, "તારો ભાઈ ફરીથી સજીવન થશે."
24 માર્થાએ જવાબ આપ્યો, "હા, પુનરુત્થાનમાં છેલ્લે દિવસે મારો ભાઈ પાછો ઊઠશે તે હું જાણું છું."
25 ઈસુએ તેને કહ્યું, "પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે મરણ પામે તોપણ સજીવન થશે. 26 અને જે કોઈ મારા પર વિશ્વાસ રાખીને જીવે છે તે કદી મરશે નહિ. શું તું એવો વિશ્વાસ કરે છે?"
27 માર્થાએ જવાબ આપ્યો, "હા, પ્રભુ, હું વિશ્વાસ કરું છું કે તમે જ મસીહ, ઈશ્વરપુત્ર છો. જે જગતમા આવનાર છે."