ઈસુ મંદિરને શુધ્ધ કરે છે
13 જયારે યહૂદીઓનાં પાસ્ખાપર્વનો સમય પાસે આવ્યો હતો, ત્યારે ઈસુ યરુશાલેમ ગયા. 14 મંદિરનાં આંગણાંમાં લોકો પશુઓ, ઘેટાં અને કબૂતરો વેચનારા તથા નાંણાવટીઓને ટેબલે બેઠેલા તેમણે જોયા. 15 તેથી તેમણે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને તે બધાને ઘેટાં અને પશુઓ સુધ્ધાં મંદિરનાં આંગણાંમાથી હાંકી કાઢયાં. નાંણાવટીઓને નાણાંના સિક્કા વેરી નાંખ્યાં, અને તેઓના ટેબલો ઊંધા વાળ્યાં. 16 જેઓ કબૂતરો વેચનારા હતા તેઓને કહ્યું, "આ બધું અહીંથી બહાર લઇ જાઓ. મારા પિતાનાં ઘરને બજાર ના બનાવો." 17 તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, "તમારા ઘર માટેની આસ્થા મને ખાય જાય છે."