21 કેમકે જેમ પિતા મૂએલાઓને ઊઠાડીને તેમને જીવન આપે છે, તેમજ પુત્ર પણ ચાહે તેમને જીવન આપે છે. 22 વળી પિતા કોઇનો ન્યાય કરતા નથી પણ ન્યાય ચુકવવાનું સઘળું પુત્રને સોંપ્યું છે. 23 જેથી દરેક જણ જેમ પિતાને તેમ પુત્રને પણ માન આપે, જે પુત્રને માન નથી આપતાં, તો તેને મોકલનાર પિતાને પણ માન નથી આપતાં.
Publicidade
Publicidade