24 "હું તમને સાચે જ કહું છું કે: જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; અને તે અપરાધી નહિ ઠરશે, પણ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશે છે. 25 હું તમને સાચે જ કહું છું કે: એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂકયો છે, કે જયારે મૂએલાંઓ ઈશ્વર પુત્રની વાણી સાંભળશે, અને જેઓ સાંભળશે તેઓ સજીવન થશે.
Publicidade
Publicidade