44 જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વીના કોઈ મારી પાસે આવી શકે નહિ અને છેલ્લે દિવસે હું તેને સજીવન કરીશ. 45 પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલું છે તેમ: તેઓ બધાં ઈશ્વરથી શીખેલાં થશે. જે કોઇ પિતાને સાંભળીને તેમની પાસેથી શીખે છે તે મારી પાસે આવે છે. 46 કોઈએ પિતાને જોયા નથી, સિવાય કે જે ઈશ્વર તરફથી હોય; ફકત તેણે જ પિતાને જોયા છે. 47 હું સાચે જ તમને કહું છું જે કોઈ વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.