મંદિરનો કર
24 પછી ઈસુ અને તેમના શિષ્યો કપરનાહૂમ પહોંચ્યા, મંદિરનો કર વસૂલ કરનારાંઓએ પિતરની પાસે આવીને પૂછયું કે, "શું તમારાં ગુરુ મંદિરનો કર આપતાં નથી?"
25 પિતરે જવાબ આપ્યો, "હા, તે આપે છે."
જયારે પિતર ઘરમાં આવ્યો, ત્યારે ઈસુએ પહેલાં તેને પૂછયું, "સિમોન, તને શું લાગે છે? પૃથ્વીનાં રાજાઓ કોની પાસેથી દાણ અથવા કર લે છે? તેમના પોતાના છોકરાઓ પાસેથી કે બીજાઓ પાસેથી?"
26 પિતરે ઉત્તર આપ્યો, "બીજાઓ પાસેથી."
ઈસુએ તેને કહ્યું, "ત્યારે દીકરાઓ તો મુક્ત છે; 27 તોપણ, આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ, તું સરોવર કાંઠે જઈને તારો ગલ નાંખ, પહેલી માછલી પકડાય તે લે, તેનું મોં ઉઘાડ અને તેમાંથી તને એક સિક્કા મળશે. તે લઈને તું તારો અને મારો કર તેઓને ચૂકવી દે."