દયા ન દશાઁવનાર ચાકરનું દૃષ્ટાંત
21 પછી પિતરે ઈસુની પાસે આવીને કહ્યું, "પ્રભુ! મારો ભાઈ કે મારી બહેન મારી વિરુધ્ધ અપરાધ કર્યા કરે તો મારે કેટલીવાર માફી આપવી? શું સાત વાર?"
22 ઈસુએ જવાબ આપ્યો, "હું તને કહું છું, સાત વાર નહિ પણ સિત્તેર ગણી સાત વાર.
23 "માટે, સ્વર્ગનું રાજ્ય એક રાજા જેવું છે, કે જેણે પોતાના નોકરો પાસેથી હિસાબ લેવા માગ્યો. 24 હિસાબ લેતાં એક જણને તેની પાસે લાવવામાં આવ્યો, તેને દસ હજાર તાલંત સોનાનું દેવું હતું, 25 તે દેવું ચૂકવી શકે એમ ન હતો, તેથી માલીકે તેને, તેની સ્ત્રીને, તેનાં બાળકોને તથા તેની પાસે જે કાંઈ હતું તે તમામને વેચીને દેવું ભરપાઈ કરવા આજ્ઞા કરી.
26 "એટલે તે નોકર તેમની આગળ ઘૂટણે પડયો, તેણે વિનંતી કરી મારી સાથે ધીરજ રાખો, ‘હું તમામ પાછું આપીશ.’ 27 ત્યારે નોકરના માલીકને તેના પર દયા આવી, દેવું માફ કરી અને તેને જવા દીધો.
28 "પણ જયારે તે નોકર બહાર ગયો, ત્યારે તેણે સાથી નોકરોમાનાં એકને જોયો, જે તેના ચાંદીનાં સો સિક્કાનો દેવાદાર હતો. ‘તેણે તેને પકડી લીધો ને તેને ગૂંગળાવી નાખવા લાગ્યો, તેણે માંગણી કરી કે મારું જે દેવું છે તે પાછું આપ!’
29 "તેનો સાથી નોકર તેના પગે પડયો કરગરવાં લાગ્યો, ‘મારી સાથે ધીરજ રાખો. હું તે વાળી આપીશ.’
30 "પણ તેણે માન્યું નહિ, તેણે જઈને દેવું ચૂકવી આપે નહિ ત્યાં સુધી તે માણસને જેલમાં નાખ્યો. 31 જયારે બીજા નોકરો જે બન્યું તે જોયું, ત્યારે તેઓ દિલગીર થઇ જઈને જે બન્યું હતું તે પોતાના માલીકને કહ્યું.
32 "ત્યારે માલીકે ચાકરને અંદર બોલાવીને તેણે કહ્યું, ‘અરે દુષ્ટ નોકર! તે મને વિનંતી કરી માટે મેં તારું બધું દેવું માફ કયુઁ. 33 જેમ મેં તારા પ્રત્યે દયા દર્શાવી તેમ તારે પણ તારા સાથી નોકર પ્રત્યે દર્શાવવી જોઈતી નહોતી શું?’ 34 માલીકે ગુસ્સે થઇને બધું દેવું ચૂકવે નહિ ત્યાં સુધી, તેણે તેને જેલમાં પીડા આપનારાઓનાં હાથમાં સોંપ્યો.
35 "એ જ પ્રમાણે તમે તમારાં ભાઈઓ અને બહેનોને ખરાં દિલથી માફ નહિ કરો તો સ્વર્ગમાંના મારા પિતા તમને પણ એમ જ કરશે."