ઈસુ મંદિરે
12 ઈસુ મંદિરનાં આંગણાંમાં પ્રવેશ્યા અને ત્યાંથી તેમણે વેચનારાઓને અને ખરીદનારાઓને ત્યાંથી હાંકી કાઢયાં, નાણાંવટીઓના ટેબલ અને કબૂતર વેચનારાઓની બેઠકો ઊંધી કરી નાંખી. 13 તેમણે તેઓને કહ્યું કે લખેલું છે કે, "મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તેને લુંટારાઓનું કોતર બનાવો છો."