29 "એ દિવસોની વિપત્તિ પછી તરત જ
" ‘સૂરજ અંધકારમય થઈ જશે,
અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ;
તારાઓ આકાશમાંથી ખરશે.
આકાશી મંડળો હલાવાશે.’
30 "જયારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, અને પૃથ્વી પરના સધળાં લોકો શોક કરશે. ત્યારે માણસના દીકરાને સામર્થ્ય અને મહિમાસહિત તેઓ આકાશના વાદળો પર આવતા નિહાળશો. 31 રણશિંગડાનાં મોટાં અવાજ સાથે તે પોતાના દૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી બીજા છેડા સુધી તેમના પસંદ કરેલાંઓને એકત્ર કરશે.