45 "તો તે વિશ્વાસુ અને બુધ્ધિમાન નોકર કોણ છે, જેને માલિકે પોતાના ઘરનાં નોકરોને યોગ્ય સમયે ખોરાક આપવાં માટે કારભારી ઠરાવ્યો છે? 46 જેનો માલિક પાછો આવે ત્યારે, જે નોકરને એમ કરતા જોશે તેને માટે સારું છે. 47 હું તમને સાચે જ કહું છું, તે તેને પોતાની બધી મિલ્કતનો કારભારી બનાવશે. 48 પણ ધારોકે જો તે નોકર દુષ્ટ છે અને પોતાના મનમાં કહે: ‘મારો માલિક લાંબા સમયથી દૂર રહે છે’ 49 અને પછી તે તેના સાથી નોકરોને મારવા લાગે છે અને દારૂડિયાઓની સાથે ખાવાં પીવાં લાગે. 50 નોકરનો માલિક એવા દિવસે આવશે જયારે તે ધારતો નહિ હોય અને તે ઘડી તે જાણતો નથી. 51 તે તેને કાપી નાંખશે ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, જયાં રડવું અને દાંત પીસવું થશે.
Publicidade