ઈસુને પરસ્વાધીન કરાવવા યહુદાની સંમતિ
14 પછી બારમાંનો એક, કે જે યહૂદા ઇશ્કરિયોત કહેવાય છે, મુખ્ય યાજકોની પાસે ગયો. 15 અને કહ્યું, "હું તેમને તમારે સ્વાધીન કરૂ તો તમે મને શું આપવાં ઇચ્છો છો?" તેથી તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ગણી આપ્યા. 16 તે ઘડીથી તેણે તેમને તેઓના હાથમાં સોંપી દેવાનો લાગ શોધવાં લાગ્યો.