63 તેઓએ કહ્યું, "સાહેબ, અમને યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે કહ્યું હતું કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો સજીવન થઈશ.’ 64 તેથી ત્રણ દિવસ સુધી કબર પર જાપ્તો રાખવાનો હુકમ કરો, નહિતર તેના શિષ્યો આવીને તેનું શબ ચોરી જઈને બધાને કહેશે કે તે મરણમાંથી સજીવન થયો છે. આમ છેલ્લી ભુલ પહેલીના કરતાં વધારે મોટી થશે."