કુંડે સાજાપણું
1 થોડા સમય પછી, ઈસુ યહૂદીઓનાં એક પવેઁ યરુશાલેમ ગયા. 2 હવે ત્યાં યરુશાલેમનાં ઘેટાં દરવાજા પાસે એક કુંડ છે, કે જેને અરામીકમાં બેથઝાથા કહેવામાં આવે છે, અને જે પાંચ પરસાડોથી ઘેરાયેલો હતો, 3 અહીંયા અંધ, લંગડા, અને લકવાવાળા લોકો મોટી સંખ્યામાં પડી રહેતાં હતા, અને કુંડમાં પાણી હાલે તેની રાહ જોતાં હતા, 4 ઈશ્વરનો દૂત કોઈ કોઈ વાર આવીને પાણી હલાવતો હતો. તે વખતે જે માણસ, પહેલો કુંડમાં ઊતરતો તે સાજો થતો.5:4 ઘણાં ઓળીયામાં આ કલમ નથી 5 ત્યાં એક જણ હતો જે આડત્રીસ વરસથી પીડાતો હતો. 6 જયારે ઈસુએ તેને ત્યાં પડેલો જોયો અને તે ઘણા લાંબા સમયથી એવો જ હતો, તે જોઇને તેમણે તેને પૂછયું, "શું તું સાજો થવા ચાહે છે?"
7 "સાહેબ," પીડીતે જવાબ આપ્યો, "કુંડમાં જયારે પાણી હાલે છે ત્યારે મને મદદ કરનાર કોઈ હોતું નથી. જયારે હું તેમાં ઊતરવા પ્રયત્ન કરું છું તે પહેલાં બીજો કોઈ તેમાં ઊતરી પડે છે."
8 પછી ઈસુએ તેને કહ્યું, "ઊભો થા, તારી પથારી લઈને ચાલ્યો જા." 9 તરત જ તે માણસ સાજો થઈ ગયો; તે પોતાની પથારી લઈને ચાલ્યો.
જે દિવસે આ બન્યું તે સાબ્બાથ5:9 વિશ્વામદિવસ તરીકે પણ ભાંષાતર કરવામાં આવ્યું છે, આ એક યહૂદી વિશ્વામવાર છે. હતો.