16 તે ઘણાં ઇઝરાયેલના લોકોને તેઓના ઈશ્વર પ્રભુ તરફ પાછા ફેરવશે. 17 અને તે એલિયાના આત્માએ અને પરાક્રમે પ્રભુની આગળ ચાલશે, એ માટે કે માતા-પિતાનાં હૃદયને તેમનાં બાળકો તરફ અને આજ્ઞા ન માનનારાઓને ન્યાયીઓનાં જ્ઞાન તરફ ફેરવશે અને પ્રભુને માટે સિધ્ધ થયેલા લોક તૈયાર કરશે."