ઈસુ તોફાન શાંત પાડે છે
22 એક દિવસે ઈસુએ તેના શિષ્યોને કહ્યું, ચાલો આપણે સરોવરને પેલે પાર જઈએ તેથી તેઓ હોડીમાં બેઠાં અને નીકળ્યાં. 23 જયારે તેઓ જતા હતા એટલામાં તેઓ ઊંઘી ગયા. ત્યારે સરોવર પર તોફાન આવ્યું, જેથી હોડી ભરાઈ ગઇ, અને તેઓ મોટા જોખમમાં આવી પડયાં.
24 શિષ્યો તેમની પાસે ગયા ને જગાડીને કહ્યું, "ગુરુજી! ગુરુજી! અમે ડુબી રહ્યા છીએ." તેમણે ઊઠીને.
પવનને અને મોજાને ધમકાવ્યા; તોફાન શમી ગયું અને બધું શાંત થઈ ગયું. 25 પછી તેમણે તેમના શિષ્યોને કહ્યું, "તમારો વિશ્વાસ કયાં છે?"
તેઓ બી ને અચરત થયા અને એકબીજાને પૂછવાં લાગ્યા, "આ તે કોણ છે કે, પવન અને પાણીને આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે!"