પસ્તાવો નહિ કરનાર નગરોને અફસોસ
20 પછી ઈસુ તે નગરો પર દોષ મુકવાં લાગ્યા, કે જેમાં તેમના મોટાં ભાગનાં ચમત્કારો કરવામાં આવ્યા હતા, કારણ કે તેઓએ પસ્તાવો કયોઁ નહિ. 21 "ઓ ખોરાજીન! તને અફસોસ, હે બેથસૈદા તને અફસોસ! કારણ કે જે ચમત્કારો મેં તમારામાં કર્યા તે જો તૂર અને સિદોનમાં થયા હોત તો, તેમણે ટાટ તથા રાખમાં બેસીને ક્યાંરનોય પસ્તાવો કર્યા હોત! 22 પણ હું તમને કહું છું કે, ન્યાયના દિવસે તમારા કરતા તૂર અને સિદોનના હાલ સહેલ થશે. 23 અને ઓ, કપરનાહૂમ, શું તું આકાશમાં ઉચું કરાશે? ના, તું હાદેસ સુધી નીચું જશે, તારામાં જે અદભુત ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે આજ સુધી હયાત હોત. 24 પણ હું તમને કહું છું કે ન્યાયના દિવસે તમારા કરતા સદોમનાં હાલ સહેલ થશે."