3 પછી તેમણે દ્રષ્ટાંતોમા ઘણી વાતો કહી; કે "એક ખેડૂત તેના બી વાવવા બહાર ગયો, 4 જયારે તે બી વાવતો હતો, કેટલાક પગદંડીની બાજુએ પડયાં, અને પક્ષીઓ આવ્યા અને તે ખાઈ ગયાં. 5 કેટલાક ખડકાળ જમીન પર પડયાં, જયાં વધારે માટી ન હતી, તેથી તે જલદી ઊગી નીકળ્યાં. કેમકે જમીન છિછરી હતી. 6 પણ જયારે સૂર્ય ઉપર આવ્યો ને છોડ ચીમળાઈ ને સુકાઈ ગયા, કેમકે તેમને મૂળ ન હતા. 7 કેટલાક બી કાંટા ઝાંખરામાં પડયાં, જે વધ્યાં અને છોડને દબાવી દીધા. 8 હજુ બીજા બી સારી જમીન પર પડયાં, જયાં તેને ફળ આવ્યા, તેમાંથી સો ગણાં, સાઠગણાં, અને ત્રીસ ગણાં ફળ ઉત્પન્ન થયાં. 9 જેને કાન હોય તે સાંભળે."