જાળનું દ્રષ્ટાંત
47 "ફરીવાર સ્વર્ગનું રાજ્ય જાળનાં જેવું છે કે જેને સરોવરમાં નાખી અને દરેક જાતની માછલીઓ પકડાય. 48 જયારે તે ભરાઈ ગઇ ત્યારે માછીમારો તેને કિનારા પર ખેંચી લાવ્યાં, પછી તેઓએ બેસીને સારી માછલીઓ ટોપલીમાં એકઠી કરી અને નકામી માછલીઓને ફેંકી દીધી. 49 જગતના અંત સમયે આ જ પ્રમાણે થશે. દૂતો આવશે ને ન્યાયીઓને દુષ્ટો થી જુદાં પાડશે. 50 અને તેઓને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે, ત્યાં રડવું અને દાંત પીસવું થશે.