3 ઈસુએ જવાબ આપ્યો, "પણ તમારી રીતરિવાજોને ખાતર તમે ઈશ્વરની આજ્ઞાઓનો ભંગ કેમ કરો છો? 4 કેમકે ઈશ્વરે કહ્યું છે કે ‘તારાં માતાપિતાને સન્માન કર’ અને જે કોઈ પોતાનાં માતાપિતાને શાપ દે, તે માર્યો જાય. 5 પરંતુ જો કોઈ પોતાના માતાપિતાને કહે, ‘મારાંથી તમને જે કાંઈ મદદ કરાય તે બધું મેં ઈશ્વરને અર્પી દીધું છે.’ 6 તેનાથી તેઓ પોતાના માતાપિતાને સન્માન ન આપે, એમ તમે તમારા રીતરિવાજોથી ઈશ્વરના વચનને રદ કરો છો. 7 ઓ ઢોંગીઓ! યશાયાએ તમારાં વિષે સાચું જ કહ્યું છે:
8 " ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે,
પણ તેઓનાં હૃદય મારાંથી દૂર છે.
9 તેઓ મારી વ્યથઁ ભકિત કરે છે.
તેઓનું શિક્ષણ માત્ર માણસના નિયમ પૂરતું છે.’ "