પુનરુત્થાન સમયે લગ્ન
23 તે જ દિવસે સાદૂકીઓ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી તેઓ તેમની પાસે પ્રશ્ર લઇને આવ્યા. 24 તેઓએ કહ્યું, "ગુરુજી, મોશેએ અમને કહ્યું છે કે: જો કોઈ માણસ નિઃસંતાન મરણ પામે તો તેનો ભાઈ વિધવા સાથે લગ્ન કરીને તેને સારું સંતાન ઉપજાવે. 25 હવે અમારામાં સાત ભાઈઓ હતા. પહેલાએ લગ્ન કર્યું ને મરી ગયો, અને તેને કોઈ સંતાન ન હતા. તે તેની પત્નિ તેના ભાઈને સારું મુકી ગયો. 26 જેવું જ બીજા અને ત્રીજા ભાઈને પણ થયું, તેવું જ સાતેયની સાથે પણ બન્યું. 27 છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28 તો પછી હવે પુનરુત્થાને આ સાતમાંથી તે કોની પત્ની થશે, કારણ કે તેઓ બધાએ તેની સાથે લગ્ન કયાઁ હતા?"
29 ઈસુએ જવાબ આપ્યો, "શાસ્ત્ર તથા ઈશ્વરના પરાક્રમ ન જાણવાને કારણે તમે ભૂલ ખાઓ છો. 30 પુનરુત્થાનમાં લોકો પરણતા કે પરણાવતા નથી; તેઓ સ્વગઁમાંના દૂતો જેવાં થશે. 31 પણ મૂએલાઓનાં પુનરુત્થાન સંબંધી ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે વાંચ્યું નથી, 32 ‘હું અબ્રાહમનાં ઈશ્વર, ઇસહાકનાં ઈશ્વર તથા યાકોબનાં ઈશ્વર છું?’ તે મૂએલાંના ઈશ્વર નથી પણ જીવતાંઓના છે."
33 જયારે ટોળાએ આ સાંભળ્યું તેઓ તેમના શિક્ષણથી આશ્ચર્ય પામ્યાં.