37 જેમ નૂહનાં દિવસોમાં હતું એવું જ માણસના દીકરાના આગમન સમયે થશે: 38 કેમકે જળપ્રલય પહેલાના દિવસોમાં, નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતાં અને પીતાં, પરણતા અને પરણાવતાં હતાં. 39 જળપ્રલય આવ્યો અને એ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી શું થશે તેની તેઓને કંઈ ખબર ન પડી, માણસના દીકરાનું આગમન એવું જ થશે. 40 ખેતરમાં બે માણસો હશે; એક લેવાશે અને બીજો પડતો મૂકાશે. 41 બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે; એક લેવાશે અને બીજી પડતી મૂકાશે.
Publicidade
Publicidade