31 "જયારે માણસનો દીકરો પોતાના મહિમામાં સવઁ દૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના ગૌરવી રાજ્યાસન પર બિરાજશે. 32 સવઁ દેશજાતીઓ તેની આગળ એકઠી કરવામાં આવશે, અને તે સર્વ લોકોને એકબીજાથી જુદી પાડીશ જેમ ઘેટાપાળક ઘેંટાંને બકરાંથી જુદાં પાડે છે, 33 તે ઘેટાંને તેની જમણે અને બકરાંને તેની ડાબે રાખશે.
34 "ત્યારે રાજા તેની જમણી તરફનાંઓને કહેશે, ‘મારા પિતાનાં આશીર્વાદિતો આવો! જગતની ઉત્પતિ પહેલાં તમારાં માટે તૈયાર કરેલ છે તેનો વારસો લો. 35 કારણ, હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કંઈક ખાવા આપ્યું; હું તરસ્યો હતો, ત્યારે કંઈક પીવાને આપ્યું; હું અજાણ્યો હતો, ત્યારે તમે મને અંદર આવકાયોઁ; 36 મને કપડાંની જરૂર હતી, ત્યારે તમે મને કપડાં પહેરાવ્યાં; હું માંદો હતો, ત્યારે મારી ખબર લીધી, હું જેલમાં હતો, ત્યારે તમે મારી મુલાકાત લેવા આવ્યા.’
37 "ત્યારે ન્યાયીઓ તેને જવાબ આપશે, ‘પ્રભુ! અમે ક્યાંરે તમને ભૂખ્યાં જોઈને ખવડાવ્યું અથવા તરસ્યા જાણીને તમને પીવાને કંઈક આપ્યું; 38 ક્યાંરે અમે તમને અજાણ્યા જોઈને અંદર આવકાયાઁ; ને કપડાંની જરૂર હતી, ત્યારે કપડાં પહેરાવ્યાં? 39 અને ક્યાંરે અમે તમને બીમાર જોયા અથવા જેલમાં જોઈને તમારી મુલાકાત લીધી?’
40 "ત્યારે રાજા જવાબ આપશે હું તમને સાચે જ કહું છું કે, ‘જે કાંઈ આ મારાં નાનાં ભાઈઓ અને બહેનોમાંનાં એક માટે કર્યું તે, તમે મારા માટે કયુઁ.’
41 "પછી તેમની ડાબી તરફનાંઓને કહેશે, ‘મારી આગળથી દૂર જાઓ, ઓ શાપિતો! શેતાન અને તેના દૂતો માટે તૈયાર કરેલાં અનંત અગ્નિમાં; 42 કેમકે હું ભૂખ્યો હતો, અને તમે મને ખાવાને કંઈ આપ્યું નહિ; અને તરસ્યો હતો, અને તમે મને પીવાને કંઈ આપ્યું નહિ; 43 હું અજાણ્યો હતો, અને તમે મને અંદર આવકાર્યો નહિ; મારે કપડાંની જરુર હતી, ત્યારે તમે મને કપડાં પહેરાવ્યાં નહિ; હું બીમાર અને જેલમાં હતો, ત્યારે તમે મારી મુલાકાત લીધી નહિ.’
44 "ત્યારે તેઓ પણ જવાબ દેશે, ‘ઓ પ્રભુ, અમે ક્યાંરે તમને ભૂખ્યાં, કે તરસ્યા, અજાણ્યા કે ઉઘાડાં, માંદા કે જેલમાં જોઈને તમારી સહાય ન કરી?’
45 "તે જવાબ આપશે, હું તમને સાચે જ કહું છું કે ‘આ નાનાંઓમાંના એકને તમે કયુઁ નહિ તે મને કયુઁ નહિ.’
46 "ત્યારે તેઓ અનંતકાળની શિક્ષામાં જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં."