3 "આત્મામાં જેઓ રાંક છે તેઓ આશીર્વાદિત છે,
કારણ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
4 જેઓ શોક કરે છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓને દિલાસો મળશે.
5 જેઓ નમ્ર છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે પૃથ્વીનો વારસો તેઓને મળશે.
6 જેઓ ન્યાયીપણા માટે ભૂખ્યા અને તરસ્યા છે તેઓ આશીવાઁદિત છે,
કેમકે તેઓ ધરાશે,
7 જેઓ, દયાળુ છે તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.
8 જેઓનાં હૃદય શુદ્ધ છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓ ઈશ્વરને જોશે.
9 જેઓ સલાહ કરાવનારાં છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓ ઈશ્વરના પુત્રો કહેવાશે.
10 ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી થાય છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
11 "જયારે લોકો તમારી નિંદા કરે, તમારી સતાવણી કરે અને મારે લીધે તમારી વિરુદ્ધ દરેક પ્રકારની જૂઠી વાતો અસત્યતાથી કહે, ત્યારે તમે આશીર્વાદિત છો. 12 આનંદ કરો અને હરખાઓ, કારણ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે, તમારી અગાઉના પ્રબોધકોની પણ એવી જ સતાવણી થઈ હતી.