46 અને મરિયમે કહ્યું:
"મારો જીવ પ્રભુનો મહિમા કરે છે
47 અને ઈશ્વર મારા તારનારમાં મારો આત્મા હરખાય છે,
48 કેમકે તેમણે પોતાની દાસીની દીનાવસ્થા
પર દ્રષ્ટિ કરી છે.
હવેથી સઘળી પેઢીઓ મને ધન્ય કહેશે,
49 કેમકે પરાક્રમીએ મારે સારું,
મારા માટે મહાન કૃત્યો કર્યાં છે—તેનું નામ પવિત્ર છે.
50 જેઓ તેમની બીક રાખે છે, તેઓ પર પેઢી દર પેઢી તેની દયા રહે છે.
51 તેમણે પોતાના ભુજે પરાક્રમી કાયોઁ દેખાડયા છે
જેઓ પોતાના આંતરિક વિચારોમાં અભિમાની છે તેઓને તેણે વિખેરી નાંખ્યાં છે!
52 તેમણે સરદારોને રાજ્યાસન પરથી ઉતારી મૂક્યાં છે
અને દીન લોકોને ઊંચા કર્યા છે.
53 ભૂખ્યાઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે
અને ધનવાનોને ખાલી હાથે પાછા કાઢયાં છે.
54 દયા રાખવાનું સંભારીને,
તેમણે તેમના સેવક ઇઝરાયેલને સહાય કરી છે
55 જેમ તેણે આપણા પૂવઁજોને વચન આપ્યું હતું.
તેમ અબ્રાહમ અને તેના વંશજોને સદા માટે"