ભલા સમરૂનીનું દ્રષ્ટાંત
25 એક પ્રસંગે નિયમશાસ્ત્રના એક પંડિતે ઊભા થઇને ઈસુની પરીક્ષા કરતાં તેણે પૂછયું. "ગુરુજી, અનંતજીવન મેળવવાં માટે મારે શું કરવું જોઈએ?"
26 તેમણે જવાબ આપ્યો, "નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું કેવી રીતે વાંચે છે?"
27 તેમણે જવાબ આપ્યો, " ‘તારે પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરાં હૃદયથી, પૂરાં જીવથી, પૂરી શકિતથી તથા પૂરાં મનથી પ્રેમ રાખવો અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ "
28 ઈસુએ જવાબ આપ્યો, "તેં સાચો જવાબ આપ્યો. તું આ કર અને તું જીવશે."