ઈસુ યરુશાલેમમાં રાજા તરીકે આવે છે
28 આ વાત કહી રહ્યા પછી ઈસુ યરુશાલેમ તરફ આગળ વધ્યાં. 29 તેઓ જૈતુન નામનાં પહાડ આગળ બેથફગે તથા બેથાનિયા ગામ પાસે આવ્યા, તેમણે તેમનાં શિષ્યોમાંના બે ને એમ કહીને મોકલ્યા, 30 "તમારી આગળનાં ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ત્યાં તમને એક વછેરો બાંધેલો જોવા મળશે, તેના ઉપર કોઈએ કદી સવારી કરી નથી, તેને છોડી ને અહીં લાવો. 31 જો કોઈ તમને પૂછે કે, ‘તમે તેને કેમ છોડો છો?’ તો કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે.’ "
32 જેઓને આગળ મોકલ્યા હતા, તેઓ ગયા, અને જેમ તેમણે કહ્યું હતું, તે પ્રમાણે જ તેઓને મળ્યું. 33 જયારે તેઓ વછેરાને છોડતાં હતા, ત્યારે તેના માલિકે તેમને પૂછયું, "તમે વછેરાને કેમ છોડો છો?"
34 તેઓએ જવાબ આપ્યો, "પ્રભુને તેની જરૂર છે."
35 તેઓ તેને ઈસુ પાસે લાવ્યા, વછેરા પર પોતાના ઝભ્ભા પાથરીને ઈસુને તેના પર બેસાડયા. 36 જેમ તેઓ આગળ ગયા, તેમ લોકોએ પોતાના ઝભ્ભા રસ્તામાં પાથયાઁ.
37 જયારે તેઓ જૈતુન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યા, ત્યારે શિષ્યોનું આખું ટોળું ઈસુએ કરેલાં અદભુત ચમત્કારો તેઓએ જોયા હતા તે સઘળા યાદ કરીને આનંદથી મોટે ઘાંટે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા:
38 "પ્રભુને નામે જે રાજા આવે છે તેમને ધન્ય છે!"
"સ્વગઁમાં શાંતિ અને પરમઊંચામાં મહિમા હો!"
39 ટોળામાંના કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું, "ગુરુજી, તમારાં શિષ્યોને ધમકાવો!"
40 તેમણે તેમને જવાબ આપ્યો, "જો તેઓ શાંત રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે."