24 યોહાનના સંદેશાવાહક ગયા પછી, ઈસુએ લોકોને યોહાન સંબંધી ટોળાને કહેવા લાગ્યા, "અરણ્યમાં તમે શું જોવા ગયા? શું પવનથી હાલતાં ઘાસને? 25 જો ના તો, તમે બહાર શું જોવા ગયા? શું સારા વસ્ત્ર પહેરેલાં માણસને? ના, જેઓ મૂલ્યવાન વસ્ત્રો પહેરે છે તેમને અથવા રાજમહેલમાં એશઆરામ ભોગવે છે તેમને. 26 પણ તમે શું જોવા બહાર ગયા? પ્રબોધકને? હા, હું તમને કહું છું, પ્રબોધક કરતાં અધિક છે તેને. 27 તે એ જ છે કે, જેનાં વિશે લખેલું છે કે:
" ‘હું તમારી આગળ મારો સંદેશાવાહક મોકલીશ,
જે તમારી આગળ તમારો માર્ગ તૈયાર કરશે.’
28 હું તમને કહું છું કે સ્ત્રીઓથી જેઓ જન્મ્યાં છે, તેઓમાં યોહાન કરતાં કોઇ મહાન થયો નથી; તોપણ, ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે તે તેના કરતાં મોટો છે."
29 જકાતકારો સહિત ઘણાં લોકોએ, જયારે ઈસુની આ વાત સાંભળી ત્યારે તેઓએ સ્વીકાયુઁ કે ઈશ્વરનો માગઁ સાચો હતો, કેમકે તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. 30 પરંતુ ફરોશીઓ તથા નિયમશાસ્ત્રના પંડિતોઓએ પોતાના માટેનો ઈશ્વરનો હેતુંનો નકાર કયોઁ, કેમકે તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા ન હતા.