14 તેઓમાં યશાયા પ્રબોધકની ભવિષ્યવાણી પૂરી થઇ છે:
" ‘તમે સર્વદા સાંભળ્યા કરશો પણ કદી સમજશો નહિ;
તમે સર્વદા જોયા કરશો પણ કદી જાણશો નહિ;
15 કેમકે આ લોકોનું હૃદય જડ થઈ ગયું છે.
તેઓ પોતાના કાનથી ભાગ્યે જ સાંભળે છે, અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે
નહિ તો કદાચ તેઓ પોતાની આંખોથી જુએ,
પોતાના કાનથી સાંભળે,
પોતાના હૃદયથી સમજે,
અને પાછા ફરે અને હું તેઓને સાજા કરું.’