બે અંધજનોને દ્રષ્ટિ મળે છે
29 જયારે ઈસુ અને તેમના શિષ્યો યરીખોથી નીકળીને જતા હતા, ત્યારે મોટું ટોળું તેઓની પાછળ આવ્યું. 30 રસ્તાની કોરે બે અંધજન બેઠાં હતા, અને જયારે તેઓએ સાંભળ્યું કે ઈસુ ત્યાં થઈને પસાર થાય છે ત્યારે તેઓએ બૂમ પાડી, "હે પ્રભુ! દાવિદના દીકરા, અમારા પર દયા કરો!"
31 ટોળાએ તેઓને ધમકાવીને છાના રહેવા કહ્યું, પણ તેઓ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યા. "પ્રભુ! દાવિદના દીકરા! અમારા પર દયા કરો!"
32 ઈસુ ઊભા રહ્યા અને તેઓને બોલાવ્યાં, "હું તારે માટે શું કરું? તારી શી ઈચ્છા છે?"
33 તેઓએ જવાબ આપ્યો, "પ્રભુ અમને અમારી દ્રષ્ટિ જોઈએ છે."
34 ઈસુને તેઓના પ્રત્યે અનુકંપા ઊપજી અને તેઓની આંખોને અડકયા. તરત જ તેઓ દેખતાં થયા અને તેમની પાછળ ગયા.