15 પણ જયારે મુખ્ય યાજકોએ અને નિયમશાસ્ત્રના પંડિતોએ તેમણે કરેલી અદભુત બાબતો જોઈ, અને બાળકોને મંદિરનાં આંગણાંમાં પોકાર કરતાં સાંભળ્યા કે "હોસાન્ના! દાવિદના પુત્રને" ત્યારે તેઓ રોષે ભરાયા.
16 તેઓએ તેમને કહ્યું, "આ બાળકો શું કહે છે તે તમે સાંભળો છો?"
"હા," ઈસુએ જવાબ આપ્યો, "શું તમે કયારેય નથી વાંચ્યું,
બાળકોનાં હોઠોથી અને ધાવણાંઓથી
તમે, પ્રભુ, તમારી સ્તુતિ પ્રગટ કરાવી છે?"