1 "તે સમયે સ્વર્ગનું રાજ્ય દસ કુમારિકાઓ જેવું હશે, જેઓ પોતાના દીવા લઈને વરને મળવા ગઈ. 2 તેઓમાં પાંચ મૂર્ખ હતી અને પાંચ બુધ્ધિવંતી હતી. 3 મુખીઁઓએ પોતાના દીવા લિધા પણ તેમની સાથે કોઈ તેલ લીધું નહોતું; 4 જો કે બુધ્ધિવંતીઓએ પોતાના દીવાઓ સાથે કુપ્પીમાં તેલ લીધું. 5 વરને આવતાં વાર લાગી, અને તેઓ સર્વ ઝોકાં ખાઈને ઊંઘી ગઈ.
6 "મધરાતે પોકાર પડયો કે: ‘અહીંયા વરરાજા છે! તેમને મળવા બહાર આવો.’
7 "પછી સવઁ કુમારિકાઓ ઊઠીને પોતાના દીવાઓ તૈયાર કયાઁ. 8 અને મુખીઁઓએ બુધ્ધિવંતીઓને કહ્યું તમારા તેલ માંથી અમને થોડું આપો અમારા દીવા હોલવાઈ જાય છે.
9 "ના તેમણે જવાબ આપ્યો, ‘તમને તથા અમને પૂરતું થઈ રહે એટલું નથી, માટે તમે વેચનાઓની પાસે જઈને પોતપોતાને સારું વેચાતું લો.’
10 "પણ જયારે તેઓ તેલ વેચાતું લેવાં ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા. જે કુમારિકાઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ, અને બારણું બંધ કરી દેવામાં આવ્યું.
11 "પછી બીજાઓ પણ આવ્યા ને તેઓએ કહ્યું, ‘પ્રભુ! પ્રભુ! અમારે માટે બારણું ખોલો.’
12 "પણ તેણે જવાબ આપ્યો, હું તમને સાચે જ કહું છું કે ‘હું તમને ઓળખતો નથી.’
13 "માટે જાગતાં રહો, કારણ કે તે દિવસ કે તે ઘડી તમે જાણતા નથી.