ઈસુની વિરુદ્ધ કાવતરું
1 જયારે ઈસુ આ બધું કહી રહ્યા પછી તેમણે તેમના શિષ્યોને કહ્યું, 2 "જેમ તમે જાણો છો કે બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, ત્યારે માણસના દીકરાને ક્રૂસે જડાવવા સારું સોંપી દેવામાં આવશે."
3 પછી મુખ્ય યાજકો અને લોકોના વડીલો અને પ્રમુખયાજક જેનું નામ કાયાફાસ હતુ, તેના મહેલમાં ભેગા થયા. 4 કોઈ ન જાણે તેમ ઈસુની ધરપકડ કરીને તેમને મારી નાંખવાની યોજના તેઓએ ઘડી કાઢી. 5 પણ તેઓએ કહ્યું કે: "પર્વ દરમિયાન નહિ રખેને લોકોમાં હુલ્લડ ફાટી નીકળે."
બેથાનિયામાં ઈસુનો અભિષેક
6 જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીયાનાં ઘરમાં હતા, 7 ત્યારે અતિમૂલ્યવાન અત્તરની શીશી લઈને એક સ્ત્રી તેમની પાસે આવી, જયારે તેઓ જમવા બેઠા હતા, ત્યારે તેણે તેમના માથા પર તે રેડયું.
8 જયારે શિષ્યોએ તે જોયું, ત્યારે તેઓ રોષે ભરાઈને તેઓએ કહ્યું, "આ બગાડ શા માટે? 9 એ અત્તર મોટી કિંમતે વેચી શકાત અને નાણાં ગરીબોને આપી શકાત."
10 ઈસુએ તે જાણીને તેઓને કહ્યું, "તમે શા માટે આ સ્ત્રીની હેરાન કરો છો? તેણે મારા પ્રત્યે ઉત્તમ કાયઁ કર્યું છે. 11 ગરીબો હંમેશા તમારી સાથે રહેશે, પણ હું તમારી સાથે હંમેશા નથી. 12 જયારે તેણે આ અત્તર મારા શરીર પર રેડયું, તેણે મારા દફનની તૈયારી ને સારું એ કયુંઁ છે. 13 હું તમને સાચે જ કહું છું, જગતભરમાં જયાં કંઈ સુસમાચારનો પ્રચાર કરવામાં આવશે, ત્યાં તેણે જે કર્યું છે તે તેની યાદગીરીમાં કહેવામાં આવશે."
ઈસુને પરસ્વાધીન કરાવવા યહુદાની સંમતિ
14 પછી બારમાંનો એક, કે જે યહૂદા ઇશ્કરિયોત કહેવાય છે, મુખ્ય યાજકોની પાસે ગયો. 15 અને કહ્યું, "હું તેમને તમારે સ્વાધીન કરૂ તો તમે મને શું આપવાં ઇચ્છો છો?" તેથી તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ગણી આપ્યા. 16 તે ઘડીથી તેણે તેમને તેઓના હાથમાં સોંપી દેવાનો લાગ શોધવાં લાગ્યો.
છેલ્લું ભોજન
17 બેખમીર રોટલીનાં પર્વને પ્રથમ દિવસે, શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, "તમે પાસ્ખા ખાઓ માટે અમે તમારા માટે કયાં જઈને તૈયારી કરીએ એ વિશે તમારી શી ઈચ્છા છે?"
18 તેમણે જવાબ આપ્યો, "શહેરમાં જાઓ અને ફલાણાં માણસને એમ કહો, ‘ગુરુ કહે છે કે, મારો નિધાઁરિત સમય પાસે છે. હું મારાં શિષ્યોની સાથે તારા ઘરે પાસ્ખા પાળવાનો છું.’ " 19 તેથી ઈસુના કહ્યાં મુજબ શિષ્યોએ કર્યું, અને પાસ્ખાપવઁની તૈયારી કરી.
20 જયારે સાંજ પડી, ત્યારે ઈસુ બાર શિષ્યો સાથે મેજ પર બેઠાં હતા. 21 અને જયારે તેઓ જમતા હતા, ત્યારે તેમણે કહ્યું, "હું તમને સાચે જ કહું છું કે, તમારાંમાંનો એક મને પરસ્વાધીન કરશે."
22 તેઓ ઘણા દુઃખી થયા અને એક પછી એક તેમને કહેવા લાગ્યા, "પ્રભુ, તમે ખરેખર મને કહેતા નથી?"
23 ઈસુએ જવાબ આપ્યો, "જે મારી સાથે વાટકામાં હાથ બોળે છે, તે જ મને પરસ્વાધીન કરશે. 24 માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે, પણ જે માણસ માણસના દીકરાને પરસ્વાધીન કરાવે છે તેને અફસોસ! જો તે જન્મ્યો જ ન હોત તો તે તેને માટે સારું થાત."
25 ત્યારે તેમને પરસ્વાધીન કરનાર યહૂદાએ કહ્યું, "રાબ્બી, શું ખરેખર તમે મને તો નથી કહેતા?"
ઈસુએ જવાબ આપ્યો, "તેં એવું કહ્યું."
26 જયારે તેઓ ભોજન કરતા હતા, ઈસુએ રોટલી લીધી. અને આભાર માનીને, તેમણે તે તોડીને પોતાના શિષ્યોને આપી અને કહ્યું કે, "લો અને ખાઓ, આ મારું શરીર છે."
27 પછી તેમણે પ્યાલો લઈને, અને આભાર માનીને તેઓને આપીને કહ્યું કે, "તમે બધાં આમાંથી પીઓ, 28 આ કરારનુ મારું લોહી છે. જે ઘણા લોકો માટે પાપોની માફીને માટે તે વહેવડાવવામાં આવ્યું છે.