ઉપવાસ વિષે
16 "જયારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓના જેવા વિલાય ગયેલાં ચહેરાવાળા ન થાવ, કેમકે તેઓ ઉપવાસ કરે છે તે બતાવવા માટે તેઓ તેમના ચહેરાને બગાડે છે, હું તમને સાચે જ કહું છું કે તેઓને તેમનો પુરો બદલો મળી ચૂકયો છે. 17 પરંતુ જયારે તમે ઉપવાસ કરો ત્યારે તમારા માથા પર તેલ ચોપડો ને તમારું મોં ઘુઓ. 18 એથી તમે ઉપવાસ કર્યા છે એની બીજા કોઈને ખબર પડશે નહિ. માત્ર તમારો પિતા, જે અદ્રશ્ય છે. અને તમારો પિતા જે ગુપ્ત રીતે કરવામાં આવે છે તે જુએ છે, તે તમને બદલો આપશે.