2 કેટલાક લોકો લકવાગ્રસ્ત એક માણસને પથારીમાં સૂતેલો તેમની પાસે લાવ્યાં, જયારે ઈસુએ તેઓનો વિશ્વાસ જોયો, ત્યારે તેમણે તે માણસને કહ્યું, "દીકરા, હિંમત રાખ: તારાં પાપ માફ કરવામાં આવ્યા છે."
3 ત્યારે કેટલાક નિયમશાસ્ત્રનાં પંડિતોએ પોતાને કહેવા લાગ્યા, "આ માણસ ઈશ્વર નિંદા કરે છે!"
4 તેઓના વિચારો જાણીને, ઈસુએ કહ્યું, "તમે આવાં દુષ્ટ વિચારો મનમાં શા માટે કરો છો? 5 સહેલું શું છે, એમ કહેવું કે ‘તારાં પાપ તને માફ થયાં છે.’ અથવા એમ કહેવું કે, ‘ઊઠ અને ચાલ?’ 6 પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે." તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, "ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા." 7 ત્યારે માણસ ઉઠીને પોતાને ઘેર ગયો.