15 પછી તેમણે તેઓને કહ્યું, "સાવધાન રહો, અને ઘ્યાન રાખો કે સવઁ પ્રકારના લોભથી દુર રહો, જીવન તેની પુષ્કળ મિલ્કત માં રહેલું નથી."
16 તેમણે તેઓને આ દ્રષ્ટાંત કહ્યું: "એક ધનવાન માણસની જમીનમાંથી પુષ્કળ પાક નીપજયો. 17 ‘તેણે મનમાં વિચાર કયોઁ કે હું શું કરું? મારો પાક સંગ્રહ કરવા માટે મારી પાસે જગ્યા નથી.’
18 "પછી તેણે કહ્યું કે, ‘હું આમ કરીશ કે: હું મારા કોઠાર તોડી પાડીને મોટાં કોઠાર બંધાવીશ, અને ત્યાં હું મારું બધું અનાજ ભરી રાખીશ. 19 અને હું મારી જાતને કહીશ, "ઘણાં વર્ષો સુધી ચાલે એટલું અનાજ સંઘરી રાખેલ છે. હવે આરામ કર; ખા, પી અને મજા કર." ’
20 "પણ ઈશ્વરે તેને કહ્યું, ‘અરે મૂર્ખ! આજે રાત્રે જ તારો જીવ માંગી લેવામાં આવશે; પછી જે તે પોતા માટે તૈયાર કયુઁ છે તે, કોનું થશે?’
21 "જે કોઇ પોતાને સારું વસ્તુઓનો સંગ્રહ કરે છે પણ ઈશ્વર પ્રત્યે ધનવાન નથી તે તેઓ જ છે."