4 "ધારોકે તમારામાં કોઇની પાસે સો ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો પેલાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવાઈ ગયેલું ઘેટું ન મળે ત્યાં સુધી તે તેની શોધ નહિ કરે? 5 અને જયારે તે તેને મળશે, તે તેને આનંદથી, પોતાના ખભા પર ઊંચકી લેશે. 6 અને ઘરે જશે. પછી તે તેના મિત્રોને અને પાડોશીઓને બોલાવીને કહેશે, મારી સાથે આનંદ કરો; ‘મારું ખોવાયેલું ઘેટું મને પાછું મળ્યું છે!’ 7 હું કહું છું કે એ જ પ્રમાણે નવ્વાણું ન્યાયી વ્યકિતને પસ્તાવાની અગત્યતા નથી તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તો તેને લીધે સ્વર્ગમાં ઘણો આનંદ થશે.