ઈસુ બારને બહાર મોકલે છે
1 જયારે ઈસુએ બાર શિષ્યોને સાથે બોલાવ્યાં, ત્યારે તેમણે તેઓને સઘળાં અશુધ્ધ આત્માઓ કાઢવાનો તથા સર્વ રોગ મટાડવાનો પરાક્રમ અને અધિકાર આપ્યો 2 અને તેમણે તેઓને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કરવા અને માંદાઓને સાજા કરવા બહાર મોકલ્યા. 3 તેમણે તેઓને કહ્યું, "મુસાફરીમાં તમારી સાથે લાકડી, થેલી, ખોરાક, નાણાં કે વધારાનું શટઁ પણ લેતાં નહિ. 4 જે કોઇ ઘરમાં તમે જાઓ છો, તે શહેર છોડો ત્યાં સુધી તેમાં રહો. 5 જો લોકો તમારો આવકાર ન કરે તો તે શહેર છોડી દો અને તેઓની વિરુધ્ધ સાક્ષીરૂપ થવા તમારા પગની ધૂળ ખંખેરી નાંખજો." 6 પછી તેઓ ગામેગામ ફરીને સુસમાચાર પ્રગટ કરતા અને દરેક જગ્યાએ લોકોને સાજાપણું આપતાં.