અંધ ભિખારીને દ્રષ્ટિ મળે છે
35 જયારે ઈસુ યરીખો આવ્યા, ત્યારે એક અંધજન રસ્તાની કોરે બેસીને ભીખ માગતો હતો. 36 પસાર થઈ રહેલાં ટોળાંને સાંભળીને તેણે પૂછયું આ શું થઈ રહ્યું છે. 37 તેઓએ તેને કહ્યું કે, "નાઝરેથના ઈસુ ત્યાં થઈને જઈ રહ્યા છે."
38 તેણે બૂમ પાડી, "ઓ ઈસુ! દાવિદના દીકરા! મારા પર દયા કરો!"
39 જેઓ આગળ જતાં હતા તેઓએ તેને ધમકાવીને છાનો રહેવા કહ્યું, પણ તેણે વધારે મોટેથી બૂમ પાડી, "ઓ દાવિદના દીકરા! મારા પર દયા કરો!"
40 ઈસુ થોભી ગયા તેમણે માણસને પોતાની પાસે લાવવાનો હુકમ કયોઁ. જયારે તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછયું, 41 "હું તારે માટે શું કરું? તારી શી ઈચ્છા છે?"
તેણે જવાબ આપ્યો "પ્રભુ, હું દેખતો થાઉ!"
42 ત્યારે ઈસુએ તેને કહ્યું, "તું દેખતો થા; તારા વિશ્વાસે તને સાજો કયોઁ છે." 43 તરત તે દેખતો થયો અને ઈશ્વરની સ્તુતિ કરતો કરતો ઈસુની પાછળ ગયો. જયારે બધા લોકોએ એ જોયું ત્યારે તેઓએ પણ ઈશ્વરની સ્તુતિ કરી.