ઈસુને મંદિરમાં રજૂ કરાયા
22 જયારે મોશેનાં નિયમશાસ્ત્ર પ્રમાણે શુધ્ધિકરણના દિવસો આવ્યા, ત્યારે યોસેફ અને મરિયમે તેમને પ્રભુ આગળ રજૂ કરવા તેમને યરુશાલેમ લઈ ગયાં. 23 જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખ્યાં પ્રમાણે દરેક પ્રથમજનિત નર પ્રભુને સારુ પવિત્ર થાય. 24 અને પ્રભુના નિયમશાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાણે હોલાંની એક જોડ અથવા કબૂતરનાં બે બચ્ચાં નું બલિદાન આપવું.
25 હવે ત્યાં શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો, તે ન્યાયી અને ધામિઁક હતો. ઇઝરાયેલનાં દિલાસાની રાહ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો. 26 પવિત્ર આત્માએ તેને પ્રગટ કયુઁ હતું કે પ્રભુના મસીહને જોયા પહેલાં તું મરણ પામશે નહિ. 27 પવિત્ર આત્માથી પ્રેરાઇને તે મંદિરનાં આંગણાંમાં ગયો. જયારે બાળક ઈસુનાં સંબંઘમા નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા સારું તેના માબાપ ત્યાં લાવ્યાં, 28 ત્યારે શિમયોને તેને તેના હાથમાં લીધો અને ઈશ્વરની સ્તુતિ કરીને, કહ્યું
29 "હે પ્રભુ, તમારાં વચન પ્રમાણે,
હવે તમારાં સેવકને શાંતિમાં જવા દો
30 કેમકે મારી આંખોએ તારા તારણને જોયું છે,
31 જેને બધા લોકોની નજરમાં તે તૈયાર કયુઁ છે.
32 વિદેશીઓ માટે તે પ્રકટીકરણનો પ્રકાશ છે,
અને ઇઝરાયેલી લોકોનો મહિમા છે."
33 તેમના વિશે જે કહેવામાં આવ્યું હતું તે સાંભળીને બાળકનાં પિતા અને માતા ઘણો અચંબો પામ્યાં. 34 પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો અને તેની માતા મરિયમને કહ્યું: "આ બાળક ઇઝરાયેલમાંના ઘણાંનાં પડવા તથા ઉઠવાનું અને જેની વિરુદ્ધ બોલવામાં આવશે તેની નિશાનીરૂપ થવા સારું ઠરાવેલો છે. 35 જેથી ઘણાંનાં હૃદયોનાં વિચારો પ્રગટ થશે. અને વળી તરવાર તમારા પોતાના આત્માને પણ વીંધી નાંખશે."
36 હાન્ના નામની એક પ્રબોધિકા પણ ત્યાં હતી, તે આશેરના કુળની ફાનુએલની દીકરી હતી. તે ઘણી જ વૃધ્ધ હતી: તે તેના પતિની સાથે સાત વર્ષ લગ્ન પછી રહી હતી. 37 અને પછી તે ચોર્યાસી વર્ષ સુધી વિધવા હતી. તેણે કદી મંદિર છોડયું નહિ, પણ રાતદહાડો પ્રાર્થના તથા ઉપવાસસહિત ભજન કર્યા કરતી. 38 તે સમયે તે ત્યાં આવી અને તેણે ઈશ્વરની સ્તુતિ કરીને યરુશાલેમનાં ઉધ્ધારની વાટ જોનાર સર્વને બાળક વિશે કહેવા લાગી.